• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • દિવાળી પર નેપાળ જતા પહેલા ચેતજો..! ભૂકંપએ મચાવી છે ભારે તબાહી, અનેક ઇમારતો ધરાશાયી, 128ના મોત, 1 હજારથી વધુ ઘાયલ

દિવાળી પર નેપાળ જતા પહેલા ચેતજો..! ભૂકંપએ મચાવી છે ભારે તબાહી, અનેક ઇમારતો ધરાશાયી, 128ના મોત, 1 હજારથી વધુ ઘાયલ

09:03 AM November 04, 2023 admin Share on WhatsApp



Nepal Earthquake News Update : દિવાળી પર નેપાળ જતા પહેલા ચેતજો..! જી..હા, નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 128 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, 6.4ની તીવ્રતાના ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અનેક ઈમારતો હજૂ પણ જર્જરીત હોવાથી આંકડો વધી શકે તેમ છે. રાત્રીના ભૂકંપ આવ્યો હોવાથી અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. હાલ રાહતકામગીરી શરૂ કરવામાં આવી છે. 

earthquake in nepal latest news | diwali tour cancelled | nepal tourism | nepal earthquake update

► નેપાળના PM ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

નેપાળમાં ગઈકાલે 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા. દિલ્હી-NCRમાં પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ (pushpa kamal dahal prachanda) આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.

► આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા

નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા. જેના લીધે વધારે પ્રમાણમાં નુકસાની થઈ છે. એવામાં દિવાળી પર તમે નેપાળના પ્રવાસે જવાના હોય તો તમારૂ બુકિંગ ફરી ચેક કરી લેજો અથવા શક્ય હોય તો તમે આ ટ્રીપ ટાળી પણ શકો છો. પરંતુ તમારે આ ઘટનાથી સાવચેતી રાખવાની જરૂર છે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - nepal earthquake today - Earthquake in Nepal Latest News | Nepal Diwali Tour Cancelled | Nepal Tourism | Nepal Earthquake Latest Update - Nepal Earthquake News - nepal earthquake 2023



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us